રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ની દાળ ને સારા પાણી થી ધોઈ લો, અને પછી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખવી, ૬ કલાક બાદ ફરી થી અડદ ની દાળ ને ધોઈ લો, હવે મિક્સર જાળ લઈ લો, અને અડદ ની દાળ ને પીસી ખીરુ તૈયાર કરવું ખીરુ તૈયાર થઇ જાય એટલે ફરી થી ૫ કલાક સુધી ખીરુ ને ઢાકી રાખવું,૫ કલાક બાદ ખીરા માં આદુ મરચાં ની પેસ્ટ,અને મીઠું એડ કરી બરાબર હલાવી લો
- 2
હવે એક પૅન લઈ તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે ખીરાના વડા ઉતારવા પછી હૂંફાળા પાણીમાં નાખવા
- 3
વડા બહાર કાઢી હલકા હાથે વડા માથી પાણી કાઢી લેવુ
- 4
હવે એક બાઉલ લઈ તેમા વડા મુકવા ત્યાર બાદ તેના પર દહીં, ખજુર આંબલી ની ચટણી, ધાણા લસણની ચટણી, ચાટ મસાલો, લાલ મરચું, અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દહીંવડા ને સજાવી દેવુ તો તૈયાર છે દહીંવડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16349042






ટિપ્પણીઓ (7)