રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ. ત્રણ વાટકી ચોખા લેવાના. અને એક વાટકી અડદની દાળ. બંને સરસ રીતે ધોઈને સાતથી આઠ કલાક પલાળી રાખો. પછી તેને પાણી કાઢીને મિક્સરમાં બાઉલમાં બંને પીસી લેવું. પીસાય જાય, ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક રાખો. એટલે સરસ આથો આવી જશે. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ. અને એમાં બે ચમચી મલાઈ નાખો. ત્યારબાદ તેમાં અડધી ચમચી સાજીના ફૂલ નાખો. પછી તેમાં એક પાવરુ તેલ નાખો. અને એક ચમચો ગરમ પાણી નાખો. અને સરસ રીતે હલાવી, લેવું.
- 2
ત્યારબાદ. ગેસ ઉપર ઢોકળીયુ મૂકવું એમાં પાણી નાખીને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે થાળીમાં તેલ લગાવીને ગરમ કરવાની. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ખીરુ, નાખવાનું. ઉપર તેને લાલ ચટણી છાંટવાની. અને મારી પાવડર છાંટવાનો. ધાણાભાજી છાટવાના. પછી તેને ઢાંકી દેવાનું. 10 થી 12 મિનિટ પછી ચેક કરી લેવાનું. ચાકુથી ચેક કરી લેવાનું ચાકુને ચોટતુ નથી ને તો થઈ ગયું છે, મલાઈ, ઢોકળું તૈયાર.
- 3
ત્યાર પછી તેને નીચે ઉતારીને કાપા પાડી લેવાના. પછી તેને વઘારી લેવાનું. પછી એક લોયામાં એક પાવરૂ તેલ લેવાનું. તેલ ગરમ થાય ત્યારે એક ચમચી રાઈ નાખવાની. રાય તતડે એટલે જીરું અડધી ચમચી નાખવાનું. પછી ચપટી હિંગ મૂકવાની. બે લાલ સુકા મરચા મૂકવાના, અને 8 થી 10 મીઠા લીમડાના પાન, મૂકવાના, બે લીલા મરચા ના કટકા કરી નાખવાના. વઘાર થઈ જાય ત્યારબાદ તેને. કાપા પાડેલી થાળીમાં વઘાર નાખવાનો. તો તૈયાર છે આપણા મલાઈ ઢોકળા.
- 4
પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ. અને સર્વ કરવાના ટમેટાની ચટણી અને વાઈટ, ચટણી સાથે.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ