રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ તથા ચોખાને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે તેને પાણીમાંથી નીતારી અડધો કપ પાણી તથા દહીં સાથે મિક્સરમાં ક્રશ કરી નાંખો. આ ખીરુ ન તો બહુ ગાઢ થવુ જોઈએ ન તો પતલું.
- 2
હવે ખીરાને એક મોટા બાઉલ માં કાઢી તેમાં મીઠું અને હળદર નાંખી સરખું રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને 6-8 કલાક માટે રહેવા દો.
- 3
એક થાળી ને તેલ લગાવી ગ્રીસ કરી લો. ઢોકળાના કૂકરમાં 2 ગ્લાસ પાણી નાંખીને તેને ગરમ થવા દો. ઢોકળાના ખીરામાં 1 મોટી ચમચી તેલ નાંખો અને હવે આદુ-મરચાની પેસ્ટ નાંખી બરાબર હલાવી લો.
- 4
પછી તેમાં ઈનો ઉમેરી ખીરુ બરાબર હલાવી લો. થાળીમાં ખીરુ પાથર્યા પછી જીરુ પાઉડર અને લાલ મરચાનો પાઉડર છાંટી તેને બફાવા દો.
- 5
10-15 મિનિટ પછી ચાકુની અણી નાંખીને ઢોકળા ચડી ગયા છે કે નહિ તે ચેક કરો. જો તે ચાકુને ચોંટે તો મતલબ હજુ તે બરાબર ચડ્યા નથી અને તેને થોડી વધારે વાર કૂકરમાં બફાવા દો.
- 6
ઢોકળા બફાઈ જાય અને થાળી સહેજ ઠરે એટલે તેને નાનો ગ્લાસ અથવા નાની વાટકી થી શેપમાં કાપી લો.
- 7
વઘારિયામાં બે ચમચી તેલ, રાઈ,જીરુ નાંખી વઘાર તતડવા દો. રાઈ-જીરુ તતડે પછી મીઠો લીમડો નાંખો. આ વઘાર હવે ઢોકળાની ડિશ પર પાથરી દો. તો ખાટા ઢોકળા તૈયાર છે.
- 8
ઉપર લીલું કોપરું અને કોથમરી થી ગાર્નિશ કરી સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (11)