પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)

અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.
પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.
પંજાબી કેરી નું અથાણું (Punjabi Keri Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણાનું ભારતીય ભોજનમાં એક આગવું સ્થાન છે. અથાણા નો ઉપયોગ આપણે મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાની સાથે પણ કરી શકીએ. ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના અથાણા બનાવવામાં આવે છે.
પંજાબી સ્ટાઈલ નું અથાણું તીખું અને ચટપટું અથાણું છે જે સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સરસવ ના તેલ ના લીધે આ અથાણાંને એક અલગ જ પ્રકારની સુગંધ મળે છે જેના લીધે ખાવામાં એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણું જો બરાબર સંભાળ રાખી ને રાખવામાં આવે તો એને એક વર્ષ કરતાં વધારે પણ સ્ટોર કરી રાખી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને સરખી રીતે ધોઈ ને એકદમ કોરી કરી લેવી. હવે કેરી ને થોડા કલાક માટે હવામાં મૂકી રાખવી જેથી કરીને એકદમ સૂકાઈ જાય. કોઈપણ પ્રકારની ભીનાશ અથાણાને બગાડી શકે છે. હવે કેરી ને મોટા ટુકડામાં કાપીને એની ગોટલી કાઢી લેવી. કેરીના ટુકડામાં અડધાથી વધારે મીઠું ઉમેરીને હાથથી બરાબર રગદોળીને એક કોટનના કપડા પર પાથરી તાપ માં ચાર થી પાંચ કલાક માટે સૂકાવા દેવા.
- 2
તેલ ને ધુમાડા નીકળે તેટલું ગરમ કરીને એકદમ ઠંડું કરી લેવું અને ત્યારબાદ જ એને વાપરવું.
- 3
હવે એક મોટા વાસણમાં કેરીના ટુકડા ઉમેરી તેમાં હળદર, લાલ મરચું, મેથી, વરિયાળી અને કલોંજી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. મીઠું ઓછું લાગે તો સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય. વધારે તીખું અથાણું જોઈતું હોય તો વધારે મરચું પણ ઉમેરી શકાય. હવે તેમાં 2 કપ તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 4
હવે તૈયાર કરેલા અથાણાને એક કાચની અથવા તો સિરામિકની બોટલમાં ભરી લેવું. ઢાંકીને એક દિવસ માટે રહેવા દેવું. બીજા દિવસે એમાં વિનેગર ઉમેરી ને બધું બરાબર હલાવી લેવું. હવે તેમાં અથાણું ડૂબે એટલું તેલ ઉમેરી લેવું. બરણીને અંદરની તરફથી ટિશ્યૂ પેપરથી બરાબર સાફ કરી લેવી. બરણી ને બંધ કરી ને કોરી જગ્યા પર રાખવી. આ અથાણું જો સરખી રીતે રાખવામાં આવે તો એક વર્ષ કરતાં પણ વધારે વખત માટે સારું રહી શકે. જ્યારે પણ અથાણું કાઢવું હોય તે દરેક વખતે હાથ અને ચમચો બંને કોરા અને ચોખ્ખા હોવા જોઈએ.
- 5
પંજાબી કેરીના અથાણાં ને અઠવાડિયા પછી ઉપયોગમાં લઈ શકાય. આ અથાણાંને મુખ્ય ભોજન સાથે અથવા તો નાસ્તાઓ સાથે પણ સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (16)